Home Culture કોરોનાને કાબુમાં લેવામાં ૯૫.૭૮ ટકા રીકવરી રેટ સાથે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં...

કોરોનાને કાબુમાં લેવામાં ૯૫.૭૮ ટકા રીકવરી રેટ સાથે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રીમ સ્થાને

696
0

કોરોનાને કાબુમાં લેવામાં ૯૫.૭૮ ટકા રીકવરી રેટ સાથે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રીમ સ્થાને

અહેવાલ : જીતેન્દ્ર જે. દવે
ગુજરાત : વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ જેને મહામારી ઘોષિત કરી છે તેવા કોરોનાના કપરા સમયમાથી હાલ સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યુ છે. કોરોના સામેનો જંગ જીતવા સરકાર, તંત્ર, સ્વૈચ્છિક સંસથાઓ તેમજ જન સમુદાય રાત દિવસ ખભે ખભા મિલાવી તનતોડ મહેનત કરે છે ત્યારે ભાવનગરમા પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતુ અટકે તે દિશામા છેલ્લા સાડા છ માસથી સમગ્ર વહીવટી તંત્ર પણ કોરોના મહામારીને નાથવા દિનરાત કામગીરી શરૂ છે. ત્યારે આ રોગચાળો વધતો અટકાવવા માટે માસ્ક પહેરવુ, સેનીટાઇઝરનો નિયમીત ઉપયોગ કરવો તથા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ એ ત્રણ બાબતો હાલના સમયે ખુબ જ જરૂરી છે. સાથો સાથ કોરોનાનું તાત્કાલીક નીદાન થાય તે માટે કોરોના ટેસ્ટીંગ પણ એટલુ જ જરૂરી છે. જેના થકી કોરોના સંક્રમીત વ્યકિત તાત્કાલીક આઇસોલેટ થઇ શકે અને તેના નજીકના કુટુંબીજનો, સગાસંબંધી કે મીત્રોને કોરોનાથી સંક્રમીત થતા અટકાવી શકાય. આ માટે જીલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા દ્રારા સમગ્ર ભાવનગર જિલ્લામા ધનિષ્ટ સેમ્પલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા એપ્રિલ માસથી આજદીન સુધીમાં કોરોનાના કુલ-૧,૯૪,૩૬૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી આર.ટી.પી.સી.આર. ૩૧,૩૧૦ સેમ્પલ તથા રેપીડ એન્ટીજનના ૧,૬૩,૦૫૩ સેમ્પલ લેવામાં આવેલ છે.
વધુમાં જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા તથા જીલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ ગત મહિનાથી જિલ્લાની મામલતદાર કચેરીઓના એ.ટી.વી.ટી. સેન્ટરો તથા જાહેર સ્થળોએ ઉભા કરાયેલ કુલ ૨૧ જેટલા સ્વૈચ્છીક કોરોના ટેસ્ટીંગ સેન્ટરો ખાતે રેપીડ એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામા આવી છે તેમજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર શ્રી એમ.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ ૬૦ વર્ષથી ઉપરના વડીલો, ૧૦ વર્ષથી નિચેના બાળકો, મહિલાઓ તેમજ દિવ્યાંગજનો માટે ટેસ્ટ ઓન કોલ જેવી રાજ્યની એકમાત્ર અને આગવી પહેલ શરૂ કરાઇ છે. જેના થકી ભાવનગર જિલ્લામા કોરોનાને કાબુમાં લેવામાં મહદઅંશે સફળતા મળી છે. હાલ ભાવનગર જિલ્લામા નોંધાયેલા ૪,૫૯૯ કેસો પૈકી માત્ર ૧૧૯ દર્દીઓ જ હાલ સારવાર હેઠળ છે અને ભાવનગર જિલ્લાનો રીકવરી રેટ પણ અંદાજે ૯૫.૭૮ ટકા સાથે સમગ્ર રાજ્યમા ટોચ પર છે. જિલ્લામા કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા તેમજ કોરોનાને સદંતર નાબુદ કરવા લોકો વધુમાં વધુ ટેસ્ટ કરાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here