ગુજરાતી અભિનેતા સમીર ખખ્ખરનું અવસાન

મુંબઈ : ગુજરાતી રંગભૂમિ,ટી.વી.સીરિયલ અને ફિલ્મ જગતનમા પોતાના અભિનયના ઓજસ પાથરનાર ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું 71 વર્ષની વયે અવસાન થયું છે. અનેક ટીવી સિરિયલો, નાટકો અને ફિલ્મોમાં અભિનય કરનારા સમીર ખખ્ખર આજે પણ નુક્કડમાં ભજવેલા ખોપડીના અદ્ભૂત પાત્રને લોકો વિશેષ યાદ કરે છે. સમીર ખખ્ખરના ભાઈએ માહિતી આપી હતી કે મંગળવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અને બપોર પછી તેમણે બેચેની થતી હોવાથી હોસ્પિટલમાં તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યાં. ICUમાં દાખલ થયાં બાદ ધીરે ધીરે તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું અને રાત્રે દસ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા તેમણે વેબ સીરિઝ ફર્ઝીમાં અભિનય કર્યો હતો.