રાજકોટ કોર્ટમાં ૧૧ ફેબ્રુઆરીના લોક-અદાલત યોજાશે

રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ના રોજ લોક અદાલત યોજાશે. જેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.

રાજકોટ : ગુજરાત રાજય કાનુની સેવા સત્ત મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા તારીખ : ૧૧/ર/ર૦ર૩ ના રોજ રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાં ફોજદારી સમાધાન લાયકના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો, (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ ર્ક્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાની કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહીં તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરિસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુક્ત બને છે તથા વૈમનસ્યથી મુક્ત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુક્વા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મુક્વા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી લોક-અદાલતનો મહતમ લાભ લઈ વધુને કેસો મુકાવી, લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.

અહેવાલ : – ભરત ભરડવા / રોહિત ભોજાણી

રાજકોટ

\"\"
જાહેરાત