સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે નાવા ગામની વાદી વસાહતમાં શાળાનાં નવા મકાનનું ભવ્ય છાત્રાર્પણ

હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી ભીંત વગરની નિશાળને અદ્યતન મકાન મળ્યું

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં વાદી-મદારીની વસાહત આવેલી છે. આ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો અત્યાર સુધી એક નાનકડા છાપરા નીચે ભીંત વગરની શાળામાં ભણતા હતા. \"\"
જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરણાથી ઈન્ડીયન ફેમિલિ એસોસિએશન ( IFA ) કેનેડાના ચાહકોએ ૧૧ લાખથી વધું રકમનું દાન આપી અત્યંત ભવ્ય શાળા બનાવી આપેલ છે.
૧૭ ઓક્ટોબર રવિવારે સવારે SGVP સંસ્થા- છારોડીના પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામિ તથા સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે આ શાળાનું છાત્રાર્પણ થયું હતું.
આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રુપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના કુલપતિ ડો. નીતિન પેથાણી અને સુવિખ્યાત હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઊદધાટનમાં જગદીશ ત્રિવેદીના ચોથા વર્ષની આવક અને જાવકનો હીસાબ આપતું પુસ્તક “ સેવાનું સરવૈયું ભાગ-૪ “ નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
પૂજ્ય માધવપ્રિય સ્વામિએ કહ્યું હતું કે જગદીશના કપડાં જેવો જ બેદાગ એનો વાનપ્રસ્થ છે. પૂજ્ય ભાઈશ્રી કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીએ સેવાની કેડી કંડારી છે એ ભવિષ્યમાં રાજમાર્ગ બનશે. મંત્રી રુપાલાએ કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીના કાર્યકર્મમાં અમે એટલે આવીએ છીએ કારણ અમને પણ એમના કાર્યમાંથી પ્રેરણા મળે છે.
રિપોર્ટ. પરાલિયા જયદીપભાઈ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *