ભાવનગર શિશુવિહાર સંસ્થા ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી

ક્રીડાંગણના તાલીમાર્થીઓએ 74માં ગણતંત્ર પર્વ પ્રસંગે તિરંગાને સલામી આપી. \"\"

ગુજરાત : ભાવનગરના માનશંકર ભટ્ટ જેઓ ફક્ત ૪ ધોરણ સુધી જ ભણ્યા હતા. આઝાદી પછી સ્વરાજ્ય પ્રેમી માનશંકર ભટ્ટને લાગ્યું કે વ્યક્તિગત લાભો અને સત્તાલોલુપ માટે રાજનીતિ થઈ રહી છે જેથી રાજકારણ છોડી મિત્રો સાથે સમાજસેવા હેતુ શિશુવિહાર સંકુલ સ્થાપ્યું. આજે પણ શિશુવિહાર સંસ્થા દ્વારા અનેક સેવાકાર્યો પ્રવૃત્તિઓ થઈ રહી છે. \"\" તા. ૨૬ જાન્યુઆરીના ૭૪માં પ્રજાસતાક દિવસના શિશુવિહાર સંકુલમાં ડૉ. નાનક ભટ્ટના માર્ગદર્શનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ દવેના વરદ હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું તે સમયે ભાવનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા. આ દિવસે શિશુવિહાર સંસ્થામાં વર્ષ 2003થી યોજાતા દ્રષ્ટિ ચકાસણી કાર્યક્રમો તેમજ વર્ષ ૨૦૧૧થી નિયમિત રીતે યોજાતા નેત્રયજ્ઞમાં સહયોગી દાતા સુધાબેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જતીનભાઈ શાહની શુભેચ્છા સાથે આ પ્રસંગે Shree Sagar Stevedores Pvt. Ltdના મેનેજર શ્રેયસભાઈ ઠાકર તથા pઅરવિંદભાઈ ઓઝાના વરદ હસ્તે 79 માં અનુભવ વર્ગના પાંચ તાલીમાર્થીઓને પ્રત્યેકને રૂપિયા 1000/- નો પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સીવણ તાલીમ વર્ગ તથા રાજ્યપાલ પુરુસ્કૃત 8 સ્કાઉટ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવેલ. સવિશેષ ક્રીડાંગણના ના 55 રમતવીરોને કબડી ગણેશ આપી ભારતીય રમતો માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રજાસત્તાક પર્વની સાંજે ક્રીડાંગણના વિદ્યાર્થીઓ માટે હળવી રમતો યોજવામાં આવેલ. જેમાં વિવિધ 6 સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરનાર 24 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ સેટ, વોટર બોટલ અને નોટબુક આપી પુરુસ્કૃત કરવામાં આવેલ.શિશુવિહાર પ્રાંગણમાં 74 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે યોજાતા ગણતંત્ર પર્વનું સંકલન હરેશભાઈ તથા કમલેશભાઈ વેગડ દ્વારા થયું હતું