Home Crime રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યા. સામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી...

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યા. સામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા

1175
0

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત ચાર દિવસમાં ત્રણ હત્યાસામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી મિત્રની હત્યા

ગુજરાત : રાજકોટ ફરીવાર રક્ત રંજીત બન્યું છે. ગુનાખોરીમાં પહેલા નંબર પર આવે તો નવાઈ નહીં. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે સોમવારની મોડી રાત્રે શહેરના ન્યુ જાગનાથ-૨૬માં રહેતા કમલેશ ઉર્ફે કમલ સુરેશભાઈ સોની નામના ૩૨ વર્ષીય નેપાળી યુવાનની હત્યાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આ હત્યા તેના જ નેપાળી મિત્ર વિજય ઉજરસિંહ વિશ્વકર્મા નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું હતું. વિજય વિશ્વકર્મા અને મૃતક કમલેશ વચ્ચે બોલાચાલી થતાં વિજયે મૃતક કમલેશને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની જાણ થતાં એ ડિવિઝન પોલીસે ગણતરી કલાકોમાં જ હત્યાના આરોપીની ધરપકડ કરી છે. એસીપી વિશાલ રબારીના જણાવ્યા પ્રમાણે વિજય ઉજરસિંહ વિશ્વકર્માને મૃતક કમલેશ ઘણા સમયથી મિત્ર છે સોમવારે મોડી રાત્રે કમલેશ અને તેની પત્નીને મકાનના ભાડા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તે સમયે વિજય કમલેશના ઘર પાસે હતો તેણે કમલેશને ઝગડા બાબતે ટપારતા મૃતક કમલેશે વિજય સાથે જ માથાકૂટ કરી તેને અભદ્ર ગાળો દેતા આવેશમાં આવી વિજય વિશ્વકર્માએ કમલેશને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં કમલેશને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબ તેને મૃત જાહેર કર્યો.એ ડિવિઝન પોલીસે આરોપી વિજય વિશ્વકર્માની ધરપકડ કરી છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કયદેસરનીહે ત્યારે હત્યા પાછળ બોલાચાલી જ એક માત્ર કારણ છે કે અન્ય કોઈ કારણ તે પોલીસ પૂછપરછમાં જ સામે આવશે પરંતુ હકીકત તો એ છે કે છેલ્લા ચાર દિવસમા જ હત્યાની આ ત્રીજી ઘટનાથી રાજકોટ શહેરની જનતા હચમચી ઉઠી છે

અહેવાલ ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ